કાશ્મીર નો સંપૂર્ણ ઇતિહાસ નગેન્દ્ર વિજય ના શબ્દોમાં
એક વખત બન્યું એવું કે ભારત પર હકૂમત ચલાવતા અંગ્રેજોએ ૧૯૩૧માં જમ્મુ-કાશ્મીરના ડોગરા મહારાજા હરિસિંહ પાસે તેમનો ગિલગિટ પ્રદેશ લીઝ પર લેવાનો પ્રસ્તાવ મૂક્યો. હરિસિંહનું સામ્રાજ્ય ગિલગિટ, બાલ્ટિસ્તાન, કાશ્મીર, જમ્મુ, મુઝફ્ફરાબાદ-મીરપુર, અક્સાઇ ચીન તથા સકશામ ખીણપ્રદેશને આવરી લેતું હતું. સૌથી મોટું દેશી રાજ્ય તે હતું. શ્રીમાન ઇન્દર મોહિન્દર રાજરાજેશ્વર મહારાજાધિરાજ શ્રી હરિસિંહ એવા ધરખમ નામે ઓળખાતા મહારાજાને (નીચેનું ચિત્ર) સરહદી ગિલગિટમાં અંગ્રેજોની હાજરી ખપતી ન હતી. લીઝનો સોદો કરવાની તેમણે ના પાડી દીધી. ગિલગિટ સરહદી પ્રાંત હોવાને લીધે જ ભારતના બ્રિટિશ શાસકો તેને પોતાના વહીવટ નીચે લાવવા માગતા હતા. વિસ્તારવાદી રશિયાના સરમુખત્યાર જોસેફ સ્તાલિનનું લાલ સૈન્ય ગમે ત્યારે ભારત પર આક્રમણ લાવે એવો ફડકો અંગ્રેજોના મનમાં હતો, માટે તેઓ ગિલગિટમાં પોતાની લશ્કરી ચોકીઓ તેમજ સંદેશવ્યવહારનાં મથકો સ્થાપવા માગતા હતા. મહારાજા હરિસિંહને તેમણે ભાડાપટ્ટા બદલ મોટી રકમની ઓફર કરી, છતાં હરિસિંહે રસ ન દાખવ્યો. સૌ જાણે છે તેમ પંજાબના મહારાજા રણજિતસિંહે જમ્મુ-કાશ્મીરનો સમગ્ર પ્રદેશ ૧૮૧૯માં જીતી તેને પોતાના સામ્રાજ્યમાં ભ